✕
كلمات أصلية
الترجمة
વૈષ્ણવ જન તો
વૈષ્ણવ જન તો તેને કહિયે જે
પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે
મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥
સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે
ધન ધન જનની તેની રે. ॥૧॥
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી
પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે
પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥
મોહ માયા વ્યાપે નહિ જેને,
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી
સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥
વણ લોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં
કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥
বৈষ্ণৱ জন তো
বৈষ্ণৱ জন তো তেনে কহিয়ে
জো পীড় পাৰায়ি জানে ৰে।
পৰ দুখে উপকাৰ কৰে তো য়ে
মন অভিমান না আনে ৰে ॥
সকল লোকমা সহুনে বন্দে,
নিন্দা না কৰে কেনি ৰে।
বাচ কাছ মন নিশ্চল ৰাখে,
ধন ধন জননী তেনি ৰে ॥
সমদৃষ্টি নে তৃষ্ণা ত্যাগী,
পৰস্ত্ৰী জেনে মাত ৰে।
জিহ্বা থকি অসত্য না বোলে,
পৰধন নৱ ঝালে হাথ ৰে ॥
মোহ মায়া ব্যাপে নাহি জেনে,
দৃঢ় বৈৰাগ্য জেনা মনমা ৰে।
ৰামনাম শু তালি ৰে লাগি,
সকল তীৰথ তেনা তনমা ৰে ॥
বনলোভী নে কপটৰহিত ছে,
কাম ক্ৰোধ নিভাৰ্যা ৰে।
ভণে নৰসায় তেনো দৰশন কৰতা
কুল একোতেৰ তাৰ্যা ৰে ॥
You can thank submitter by pressing this button
✕
Log in or sign up to add a comment.


![मदालसा उपदेश (Madālasā Upadesha) [शुद्धोसि बुद्धोसि (Śuddhosi buddhosi)] (from the Mārkaṇḍeya Purāṇa)](https://i.ytimg.com/vi/uDd3iupKUyI/hqdefault.jpg)

Feel free to use this translation if referenced (e.g on Wikipedia by putting URL of translation).